એસ્ટ્રાઝેનેકા રસી પરત ખેંચશે: આડઅસરના કારણે લેવાયો નિર્ણય
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_053010_Astra-1.webp)
- 08 May, 2024
એસ્ટ્રાઝેનેકાએ તેની કોવીડ-19ની વેક્સિન પરત લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. એન્ગલો-સ્વીડિશ ડ્રગ મેકરે આ નિર્ણય આ રસીના કારણે થતી સાઈડ ઈફેક્ટના પગલે લીધો છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ કોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેની વેક્સિનના પગલે બ્લડ ક્લોટિંગ અને બ્લડ પેલેટલેટ્સ કાઉન્ટ્સ ઓછા થવા સહિતની આડ અસર થઈ રહી છે.
કંપનીએ મંગળવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ કંપની પાસે નવી તૈયાર થયેલી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હોવાના પગલે તે વિશ્વમાંથી તેની તમામ જૂની રસીને પરત ખેંચી લેશે. કંપનીએ વધુમાં કહ્યું હતું કે તે યુરોપમાાંથી વેક્સઝેવરીયાનું માર્કેટિંગ ઓથોરાઈઝેશન પણ પરત લઈ લેશે. કંપનીએ આ વેક્સિનને માર્કેટમાંથી પરત લેવા અંગેની વાત એક અહેવાલ મુજબ 5 માર્ચે કરી હતી. આજે લગભગ એક મહિના પછીથી કંપનીએ તેની અમલવારી શરૂ કરી છે.
લંડનની એસ્ટ્રેઝનેકાની રસીનું કોવિડ-19 પછી વેચાણ ઘટતા કંપનીએ રેસપિરેટરી સિનિટિકલ વાઈરસ વેક્સિન અને ઓબેસિટી ડ્રગ પર ગત વર્ષે સંખ્યાબંધ કરારો કર્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ